મૃત્યુ પછી ભિખારીની બેગ ખોલી જોયું નીકળ્યા ૩.૨૨ લાખ રૂપિયા
વિજયવાડાઃ અનંતપુર જિલ્લામાં આવેલ ગુંટકલમાં મસ્તાન વલી દરગાહ બહાર એક મૃત્યુ પામેલા ભીખારી પાસેથી જે મળ્યું તે જોઈને આસપાસ ઉભેલા લોકો જ નહીં પોલીસ પણ આશ્યર્યમાં પડી ગઈ હતી. પોલીસને સ્થાનિકોએ ફોન કરી જાણ કરી હતી કે દરગાહ બહાર વહેલી સવારે એક ભીખારી મૃત અવસ્થામાં પડ્યો છે. તેનું મૃત્યું રાત્રે ઊંઘ જ થઈ ગયું હોઈ શકે છે. સ્થળ પર પોલીસ પહોંચી અને તેની ઓળખ કરવા માટે જયારે તેનો સામાન તપાસ્યો તો તેમાંથી ચિલ્લર અને નોટનો ઢગલો થયો. આ જોઈ લોકો આશ્યર્યમાં પડી ગયા હતા.
જયારે આ રુપિયાની ગણતરી કરવામાં આવી તો જણાયું કે ભીખારી પોતાની પાછળ ૩,૨૨,૬૭૬ રુપિયા છોડીને ગયો છે. પોલીસે આ ભીખારીની ઓળખ બાશાના રુપે કરી છે. તે પાછલા ૧૨ વર્ષથી દરગાહની બહાર ભીખ માંગતો હતો. પોલીસ જયારે સ્થળે પહોંચી તો સર્કલ ઇન્સ્પેકટર અનિલ કુમારે તેની ઓળખ મેળવવા માટે તેના કપડા અને બેગમાં ખોલીને તલાશી લીધી હતી.
જોકે પોલીસને બેગમાં કોઈ ઓળખ પત્ર તો ન મળ્યું પરંતુ જે મળ્યું તે જોઈને તપાસ અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ. પોલીસે તેના મૃતદેહને હોસ્પિટલ પહોંચ્યાડ્યો. સ્થાનિકોના મતે ભીખારી બાશા અહીં દુકાનદારો માટે ચિલ્લર એજન્ટ હતો. તેની પાસે રુપિયા ૫૦૦નું ચિલ્લર પણ મળી જતું હતું. બાશા આ ચિલ્લરની સામે ૫ રુપિયા જેટલી વધુ રકમ વસૂલતો હતો.