મુખ્ય સમાચાર
News of Friday, 29th June 2018

મણિનગર શ્રી સ્‍વામિનારાયણ ગાદી સંસ્‍થાન દ્વારા લંડનના ‘‘સેવ ધ ચિલ્‍ડ્રન ચેરીટી''ને ૪૫ હજાર પાઉન્‍ડનું દાન

લંડનઃ મણિનગર શ્રી સ્‍વામિનારાયણ ગાદી સંસ્‍થાનના આચાર્યશ્રી પુરૂષોતમપ્રિયદાસજી સ્‍વામીજી મહારાજ દ્વારા ઉજવાઇ રહેલા સદભાવ પર્વ અંતર્ગત તેમણે લંડનના ‘‘સેવ ધી ચિલ્‍ડ્રન ચેરીટી ટ્રસ્‍ટ''ને ૪૫ હજાર પાઉન્‍ડનો ચેક અનાથ બાળકોના હિતાર્થે આપ્‍યો હતો.

આ તકે મુજબ મહેમાન તરીકે યુ.કે.ના કિવન એલિઝાબેથના પ્રતિનિધિ લેફટનન્‍ટ સર નિથ ઓલિસાએ હાજરી આપી હતી. તથા પૂજય આચાર્યશ્રીના દર્શનનો લહાવો લીધો હતો. તેમણે શ્રી સ્‍વામિનારાયણ ગાદી સંસ્‍થાન સંચાલિત સેવાકીય પ્રવૃતિઓની પ્રશંસા કરી હતી. તેમજ સેવ ધી ચિલ્‍ડ્રન ચેરીટી ડીરેકટરએ આટલી મોટી રકમના ડોનેશન બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:18 pm IST)