મુખ્ય સમાચાર
News of Sunday, 29th May 2022

બિહારમાં ભારે વરસાદ વચ્ચે વિજળી પડવાથી સાત લોકોએ જીવ ગુમાવ્યા

નિચાણ વાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘુસી ગયા:વિજળી ગુલ થઇ: ભારે પવન સાથે વરસાદ પડતા નવગછિયામાં મકાનો પર વૃક્ષો પડવાથી ભારે નુકસાન

પટના :  બિહારમાં વરસાદ વચ્ચે વિજળી પડવાની ઘટનામાં કુલ સાત લોકો માર્યા ગયા હતા. આ ઘટના બિહારના ભાગલપુર જિલ્લામાં સામે આવી હતી, જ્યાં વિજળી પડવાથી છ લોકો માર્યા ગયા હતા જ્યારે આલમનગરમાં પણ આ જ પ્રકારની ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

બિહારમાં કેટલાક શહેરોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા. જેથી નિચાણ વાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. જેથી વિજળી ગુલ થઇ ગઇ હતી. ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો હોવાથી નવગછિયામાં મકાનો પર વૃક્ષો પડવાથી ભારે નુકસાન થયું હતું. ભાગલપુરમાં વિજળી ગુલ થઇ ગઇ હતી. બીજી તરફ અનેક રાજ્યોમાં ચોમાસાની શરૂઆત થઇ શકે છે. જેને પગલે કેટલાક રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે.

(8:52 pm IST)