મુખ્ય સમાચાર
News of Sunday, 29th May 2022

નેપાળમાં તારા એરલાઈનનું પ્લેન ગુમ: ચાર ભારતીય સહિત 22 મુસાફરો સવાર

નેપાળમાં તારા એનલાઈન વિમાન ગુમ થયાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ તેમાં 22 લોકો સવાર હતા.  ટીવી રિપોર્ટ્સ અનુસાર, નેપાળની તારા એરલાઇનનું પ્લેન 1 કલાકથી ગુમ છે, તેમાં 4 ભારતીયો, 3 જાપાની નાગરિકો સહિત 22 લોકો સવાર હતા.

સમાચાર એજન્સીએ એરપોર્ટ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, તારા એરના 9 NAET ટ્વીન-એન્જિન એરક્રાફ્ટમાં સવાર 19 મુસાફરો હતા, જે સવારે 9:55 વાગ્યે પોખરાથી જોમસોમ માટે ઉડાન ભરી હતી.  ઉડાન ભર્યા બાદ તેનો સંપર્ક તૂટી ગયો હતો.

નેપાળી મીડિયા અનુસાર ગુમ થયેલા વિમાનમાં ચાર ભારતીય અને ત્રણ જાપાની નાગરિકો સવાર છે.  બાકીના મુસાફરો નેપાળી નાગરિકો છે.

(12:23 pm IST)