News of Friday, 29th May 2020
અન્ય પ્રાંતોમાંથી વતનમાં આવેલા શ્રમિકોને ક્વોરેન્ટાઇન પછી રાશન અને એક હજાર રૂપિયા નગદ અપાશે : ઉત્તરપ્રદેશ સરકારનો મહત્વનો નિર્ણય
લખનૌ : અન્ય રાજ્યોમાંથી પોતાના વતનમાં આવેલા અને હાલમાં ક્વોરેન્ટાઇન સમયનો સામનો કરી રહેલા ઉત્તરપ્રદેશના શ્રમિકોને સરકારે ક્વોરેન્ટાઇન સમય પૂરો થયા પછી પોતાના જિલ્લામાં જવા માટે રાશન ઉપરાંત 1 હજાર રૂપિયા નગદ આપવાનો નિર્ણય કર્યો છે.
હાલમાં તેઓની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઇ સરકારે ઉપરોક્ત નિર્ણય કર્યો છે.તથા આવા શ્રમિકોની યાદી બનાવવાનું કામ ચાલુ થઇ ગયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(1:41 pm IST)