મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

ગર્ભવતી મહિલાઓ ,10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ,તથા 65 વર્ષથી વધુ વયના બુઝર્ગો ટ્રેનની મુસાફરી કરવાનું ટાળે : રેલવે ડિપાર્ટમેન્ટની અપીલ

ન્યુદિલ્હી : 17 મે થી શરૂ કરાયેલી શ્રમિક ટ્રેનોમાં ઘર્ભવતી મહિલાઓ ,10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તથા 65 વર્ષથી વધુ વયના બુઝર્ગો ખાસ કારણો સિવાય મુસાફરી ન કરે તેવી અપીલ રેલવે ડિપાર્ટમેન્ટે કરી છે.
યાદીમાં જણાવાયા મુજબ આ લોકોને કોરોના વાઇરસની અસર વધુ થઇ શકે છે.તેમની પ્રતિકાર શક્તિ ઓછી હોવાને કારણે તેઓએ હાલની તકે મુસાફરી ટાળવી જોઈએ
ઉપરાંત ડાયાબિટીસ ,બ્લડપ્રેસર ,હાર્ટએટેકનો ભોગ બની ચૂકેલા લોકો સહિતનાઓ માટે પણ આ મુસાફરી હાલની તકે હિતાવહ ન હોવાનું જણાવાયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:33 pm IST)