મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

હાય રે અંધશ્રધ્ધા

કોરોનાને ભગાડવા માટે પૂજારીએ આપી માનવ બલિઃ માથુ કાપીને મંદિરમાં ચઢાવવામાં આવ્યું

કટક, તા.૨૯: ઓડિશાના કટક જીલ્લામાં એક પૂજારીએ માનવ બલિ આપી હતી. તેમણે વિશ્વાસ હતો કે માનવ બલિ આપવાથી કોરોના વાયરસ નષ્ટ થઇ જશે. પૂજારીએ જણાવ્યું હતું કે, ભગવાને તેને સ્વપનમાં આવીને આદેશ આપ્યો હતો કે માનવ બલિથી કોરોના કેર સમાપ્ત થઇ જશે.

કટક જિલ્લાના બંધહુડા ગામમાં બુધવારે રાત્રે બ્રાહ્મણી દેવી મંદિરના પરિસરની અંદર બની હતી, જયાં એક વ્યકિતએ માનવ બલિ ચઢાવી દીધી હતી. મંદિર પરિસરની અદંર એક વ્યકિતની લાશ મળી હતી, મરનારનું નામ સરોજકુમાર પ્રધાન હતું, જેની ઉંમર ૫૨ વર્ષની હતી.

સ્થાનિક પોલીસે હત્યા માટે પુજારી સંસારી ઓઝાની ધરપકડ કરી છે અને આ મુદ્દે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે હત્યાનો કેસ દાખલ કરીને પોસ્ટમોર્ટમ માટે શબને મોકલી આપવામાં આવ્યું છે.

આ અંગે ડીઆઈજી આશિષ સિંહે જણાવ્યું હતું કે, આ એક ભયંકર દ્યટના છે. અમે લાશને પોસ્ટપોર્ટમ માટે મોકલી આપી છે અને વધુ તપાસ શરૂ છે.

(10:11 am IST)