News of Wednesday, 29th May 2019
પી.એમ. મોદી સત્તામાં પરત આવવાથી રામનું કામ થશેજ : શિવસેના
શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામના' મા લખ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ સત્તામાં સતત બીજી વખત આવવાથી ભગવાન રામનું કામ થઇને જ રહેશે. આ અનુસાર કરોડો લોકોએ દેશમાં રામ રાજય લાવવા માટે મત આપ્યા છે. આ પહેલા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતએ કહ્યું હતુ રામનુ કામ કરવુ છે અને થઇને જ રહેશે.
(10:24 pm IST)