પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં અરવિંદ કેજરીવાલ સામેલ થશે :આમંત્રણ સ્વીકારી લીધું
ભાજપ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રીને આમંત્રણ મોકલાયું
નવી દિલ્હી :લોકસભા ચૂંટણીમાં પ્રંચડ બહુમતી સાથે વિજેતા થયેલા ભાજપના નરેન્દ્રભાઈ મોદીની વડાપ્રધાન પદના શપથ ગ્રહણ સમારોહમાં ઘણી જાણીતી હસ્તીઓ શામેલ થવાની વાત છે. ઘણા બધા ગણમાન્ય લોકોને શપથ ગ્રહણ સમારંભમાં આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. સમાચાર છે કે શપથ ગ્રહણનું આમંત્રણ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલને પણ મળ્યુ છે કે જે તેમણે સ્વીકારી લીધુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર અને ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ સતત મોદી અને મોદી સરકાર પર આરોપ લગાવતા આવ્યા છે, ક્યારેક તો આરોપ લગાવતા તેમની વાણી એટલી કડવી થઈ ગઈ છે કે ભાજપ અને મોદી ચૂંટણી બાદ તેમની હત્યા સુધી કરાવી શકે છે. આટલા વિવાદિત નિવેદન બાદ પણ ભાજપ તરફથી દિલ્લીના મુખ્યમંત્રીને શપથ ગ્રહણનું આમંત્રણ મોકલવામાં આવ્યુ છે.