મુખ્ય સમાચાર
News of Friday, 28th February 2020

દિલ્હીમાં હિંસા વચ્ચે કોમી એકતા:મુસ્લિમોએ શિવમંદિરના પૂજારીને ઘર છોડતા અટકાવ્યા

મુસ્લિમોએ તેમની અને પરિવારની સુરક્ષાનો ભરોષો આપતા કહ્યું તમારે ક્યાંય જવાની જરૂર નથી

નવી દિલ્હી : ઉત્તર પૂર્વ દિલ્હીના ઝાકીરનગરમાં કોમીએકતાના અનેરા દર્શન થયા હતા

  દિલ્હીના ઝાકીરનગરમાં વર્ષોથી એક શિવ મંદિર આવેલુ છે. જેના મંદિરના પૂજારી પણ અહીંયા જ રહે છે. જ્યારે તોફાનોના કારણે ચારે તરફ સ્ફોટક સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે પૂજારી ગભરાઈ ગયા હતા. જેથી તેમણે આ વિસ્તારમાંથી મંદિર છોડીને નિકળી જવાની તૈયારી કરી લીધી હતી

 આ વાતનો અંદાજ નજીકમાં રહેતા મુસ્લિમ પરિવારોને પણ આવી ગયો હતો..જેથી આ મુસ્લિમ પરિવારોમાંથી કેટલાક લોકો પૂજારીને મળ્યા હતા અને તેમની અને પરિવારની સુરક્ષાનો ભરોસો આપતા કહ્યુ કે, તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમે સુરક્ષિત છો. તેથી મુસ્લિમોની ખાતરી બાદ પૂજારીએ મંદિર છોડીને જવાનુ માંડી વળ્યુ હતુ.

(12:06 am IST)