જેડીયુથી દૂર કર્યા પછી પવન વર્માએ નિતિશકુમારને આપ્યા અભિનંદનઃ ટવિટ કરી આ આરોપ લગાવ્યો
બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર વિરૂદ્ધ મોરચો ખોલવાવાળા નેતા પ્રશાંત કિશોર અને પવન વર્માને જનતા દળએ પાર્ટીની બહારનો રસ્તો દેખાડી દીધો છે. જેડીયુએ બન્ને નેતાઓ પર અનુશાસન હીનતાનો આરોપ લગાવતા આ કાર્યવાહી કરી પાર્ટીથી કાઢી મૂકયા પછી પહેલા પ્રશાંત કિશોરએ ટવિટ કરી પોતાનો ગુસ્સો જાહેર કર્યો અને હવે પવન વર્માનું નિવેન સામે આવ્યું છે.
જેડીયુથી દૂર થયા પછી પવન વર્માએ પોતાની નારાજગી જાહેર કરતા કહ્યું હુ નિતીશકુમારને અભિનંદન આપું છુ કે એમણે રાજકીય લાભ માટે પોતાના રસ્તાના રોડા હટાવી લીધા. નિતીશકુમારનુ નામ લીધા વિના પવન વર્માએ કહ્યું તે હવે પોતાના અલ્પકાલિક રાજનીતિક લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે છે. જેમાં સંભવતઃ બિહારનું મુખ્યમંત્રી પદ પણ સામેલ છે.
પવન વર્માએ પોતાના ટવિટર હેન્ડલર પર લખ્યું આપને અને આપની નીતિઓનો બચાવ કરવાની મારી અસ્થિર પોઝીશનથી મને મુકત કરવા માટે નિતીશકુમાર આપને અભિનંદન હુ આપને હર કીંમત પર બિહારના મુખ્યમંત્રી બની રહેવા માટે કામના કરૂ છુ. તે પોતાની સહયોગી બીજેપીના કાર્યો અને નિર્દેશો સબંધી લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે.