અટલજીની યાદમાં સર્વદળીય શ્રધ્ધાંજલી સભાઃ PM મોદી સહિત તમામ પક્ષના નેતા થશે સામેલ
નવી દિલ્હી તા. ૨૦ : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની યાદમાં સોમવારે ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં સર્વદળીય શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રધ્ધાંજલી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ પક્ષના દિગ્ગજ નેતા સામેલ થશે.
વાજપેયજીનું અસ્થિ કળશ દેશના તમામ રાજયોમાં પહોંચાડવામાં આવશે. તેમની યાદમાં પંચાયત સ્તર પર કેટલાક કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં બપોર બાદ શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શ્રધ્ધાંજલી સભાને લઇને સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ શ્રધ્ધાંજલી સભામાં કેન્દ્ર સરકારના તમામ પ્રધાનો, ભાજપા શાસિત રાજયોના મુખ્યમંત્રી, સહયોગી પક્ષના નેતા સિવાય વિપક્ષી દળના નેતા ઉપસ્થિત રહેશે.
એક પછી એક એમ તમામ રાજયોમાં શ્રધ્ધાંજલી સભા આયોજિત કરવાની ભાજપની યોજના છે. જેને અંતર્ગત લખનઉમાં ૨૩ ઓગસ્ટના રોજ શ્રધ્ધાંજલી સભા યોજાશે. યૂપી, મધ્યપ્રદેશ સહિત બીજા રાજયોની સો થી વધારે નદીઓમાં પૂર્વ પીએમ વાજપેયજીના અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે. પૂર્વ પીએમ વાજપેયજીના સરકારી નિવાસ સ્થાન પર રવિવારથી ગરૂડ પુરાણનો પાઠ શરૂ કરવામાં આવ્યો છે.(૨૧.૯)