News of Saturday, 28th November 2020
ઈરાનના ટોચના અણુ વૈજ્ઞાનિકની તહેરાન હત્યા કરવામાં આવી
તહેરાન: ઇરાનના ડિફેન્સ તંત્રના અહેવાલો મુજબ ઈરાનના ટોચના અણુ વૈજ્ઞાનિક અને ઇરાનિયન બોમ્બના ભીષ્મ પિતામહ ગણવામાં આવતા વૈજ્ઞાનિક મોહસેન ફખરીઝાદેહની ઇરાનના પાટનગર તેહરાનમાં હત્યા કરવામાં આવી છે વિગતો મેળવાઇ રહી છે.
મોહસેન ફખરીઝાદેહની કાર ઉપર બોમ્બ ઝીંકીને ગોળી ચલાવાઈ હતી.
કેટલાક ઉચ્ચ ઇરાની અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેઓ માને છે કે હુમલા પાછળ ઇઝરાઇલનો હાથ હતો, ઇસ્લામિક રિપબ્લિકના સર્વોચ્ચ નેતાના સલાહકારે આ હત્યાનો બદલો લેવાશે તેમ જણાવેલ છે.
(12:00 am IST)