મુખ્ય સમાચાર
News of Tuesday, 28th September 2021

બ્રિટનમાં ઇંધણની ભારે અછત : ૯૦ ટકા પેટ્રોલ પંપ બંધ કરવા પડ્યા

ઇંધણની ભારે અછતને લીધે અન્ય ચીજવસ્તુઓની અછત પણ વધી રહી છે : સરકાર કસ્ટમર સુધી ઇંધણ પહોંચાડવા માટે સેનાની મદદ લેવાનું વિચારી રહી છે

લંડન તા. ૨૮ :  દુનિયાના સૌથી વધુ વિકાસશીલ દેશોમાં સામેલ બ્રિટન હાલમાં ભયાનક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. દેશમાં ઇંધણની અછત એટલા મોટા પ્રમાણમાં વધી ગઇ છે કે ૯૦ ટકા પેટ્રોલ પંપ પર ફયૂલ ખતમ થઇ ગઇ છે. દેશમાં ગભરાયેલા લોકો વધુ વધુને પેટ્રોલ ખરીદવા માટે જયાં ત્યાં ભટકતાં જોવા મળી રહ્યા છે. જેના લીધે જે પેટ્રોલ પંપ પર સપ્લાય ચાલુ છે ત્યાં અરાજકતાની સ્થિતિ પેદા થઇ ગઇ છે. ઇંધણની ભારે અછતને લીધે અન્ય ચીજવસ્તુઓની અછત પણ વધી રહી છે. આ પરિસ્થિતિને લઇને નિષ્ણાંતો આશંકા વ્યકત કરી છે કે આની અસર બ્રિટનની અર્થવ્યવસ્થા પર પણ પડી શકે છે.

બ્રિટનમાં પેટ્રોલ-ડીઝલની અછતને લીધે બ્રેકિઝટ અને ટ્ર્ક ડ્રાઇવરોની સંખ્યા પણ ઓછી થઇ રહી છે. આ કારણે બ્રિટનની સપ્લાય ચેઇન પણ વિખેરાઇ ગઇ છે. રિફાઇનરીથી પેટ્રોલ પંપો સુધી ઇંધણ પહોંચવામાં મુશ્કેલી સામે આવી રહી છે. દેશમાં મોટી સંખ્યામાં ટ્રક રોડ કિનારે ઉભા જોવા મળી રહ્યા છે, પરંતુ એમના ડ્રાઇવર ગુમ થઇ ગયા છે. આજ કારણ છે કે, આખા બ્રિટનમાં ઇંધણની અછતથી હોહાપો મચી ગયો છે.

પરિસ્થિતિને જોતાં પ્રેસિડન્ટ બોરિસ જોનસન સરકારે ફેલાયેલી અરાજકતા વચ્ચે દેશમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓમાં અછત ઉભી ના થાય એ માટે લાખો પાઉન્ડ ખર્ચ કરવાની જાહેરાત કરી છે. સરકાર દેશવાસીઓને પેનિક શોપિંગથી બચવા માટે અપીલ કરી રહી છે.

રવિવારે બ્રિટનમાં અનેક પેટ્રોલ પંપોને ડ્રાય જાહેર કર્યા પછી બંધ કરવાની ફરજ પડી છે. ગેસ સ્ટેશનોના પણ આજ હાલ છે. આ સ્ટેશનો પર ડીઝલ અને પેટ્રોલ તથા ગેસ ખતમ થઇ ગયા છે. હવે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં બ્રિટિશ સરકાર કસ્ટમર સુધી ઇંધણ પહોંચાડવા માટે સેનાની મદદ લેવાનું વિચારી રહી છે. પરંતુ પરિસ્થિતિને જોતાં ગેસ સ્ટેશન અને પેટ્રોલ પંપના માલિકો દેશમાં ડ્રાઇવરોની સંખ્યા વધારવા પર જોર આપી રહ્યા છે.

(2:44 pm IST)