News of Monday, 28th September 2020
અકાલી દળનો આરોપ : એનડીએ માત્ર નામ પૂરતું જ છે : ૧૦ વર્ષમાં મોદીએ કદી બેઠક બોલાવી નથી
નવી દિલ્હી : એનડીએ સાથે છેડો ફાડયા બાદ અકાલીદળના અધ્યક્ષ બાદલ લાલઘુમ છે. તેમણે કહ્યું છે એનડીએએ પોતાની વિશ્વસનિયતા ગુમાવી છે અને ગઠબંધન માત્ર નામનું જ છે. છેલ્લા ૧૦ વર્ષમાં એનડીએમાં કશું થયું નથી. કોઇ વાતચીત નહિ, કોઇ યોજના નહિ, કોઇ બેઠક પણ નહિ. છેલ્લા ૧૦ વર્ષમાં એક પણ દિવસ યાદ નથી કે પીએમ મોદીએ ચર્ચા માટે બેઠક બોલાવી હોય અને જણાયું હોય કે તેમના મનમાં શું છે. ગઠબંધન માત્ર કાગળ પર ન હોવું જોઇએ.
(3:07 pm IST)