મુખ્ય સમાચાર
News of Saturday, 28th September 2019

ઇમરાનખાને લોચો માર્યોઃ નરેન્દ્રભાઇને વડાપ્રધાનને બદલે રાષ્ટ્રપતિ બનાવી દીધા!

ન્યૂયોર્ક :  ન્યુયોર્કમાં સંયુકત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પોતાના પહેલા સંબોધન દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું. તેમણે પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને રાષ્ટ્રપતિ કહી દીધા. આ વાતની ચર્ચા સોશિયલ મીડિયામાં ખુબ થઈ રહી છે અને લોકો ઈમરાન ખાનને ટ્રોલ પણ કરી રહ્યાં છે.

હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ન્યૂયોર્કમાં સંયુકત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન બાદ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે ભારતવિરોધી નિવેદનો ચાલુ રાખ્યા હતાં. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાને લગભગ ૫૦ મિનિટની પોતાની સ્પિચમાં પોતાના ભારતીય સમકક્ષને પ્રેસિડેન્ટ મોદી કહીને સંબોધ્યા હતાં. 

(1:28 pm IST)