News of Friday, 28th September 2018
લગ્ન બાદ એક મહીલા પોતાના અવાજ અને સ્વાયતતા ખોઇ બેસે છેઃ જસ્ટીશ ચંદ્રચૂડ
સુપ્રીમ કોર્ટના જસ્ટીશ ડી.વાઇ. ચંદ્રચુડએ પોતાના પિતા જસ્ટીશ વાઇ.વી. ચંદ્રચુડ દ્વારા ૧૯૮પ માં આપેલા ફેંસલાને પલટાવી દીધો, જેમા ૧૮૬૦ માં બનેલ વ્યભિચાર કાયદાને સંવૈધાનિક બતાવવામાં આવેલ હતો. જસ્ટીશ ચંદ્રચૂડે કહ્યું કે લગ્ન પછી એક મહીલા પોતાનો અવાજ અને સ્વાયતતા ગુમાવી બેસે છે. ધારા-૪૯૭ મહિલાની સેકશ્યુલ ફ્રીડમને હનન કરે છે.
(12:00 am IST)