દીદીએ બંગાળ ઉપર ધ્યાન આપવું જોઇએઃ દેશની દેખભાળ માટે વડાપ્રધાન મોદી છે
પ.બંગાળના ભાજપ પ્રમુખ દિલીપ ઘોષે ચીંટીયો ભર્યો
નવી દિલ્હી તા. ર૮ :.. ભાજપ વિરૂધ્ધ વિપક્ષી એકતાનો અવાજ બુલંદ કરવા બદલ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની ભાજપ પ્રદેશ પ્રમુખ દીલીપ ઘોષે ટીકા કરતા જણાવેલ કે તૃણમુલ કોંગ્રેસના પ્રમુખે બંગાળમાં હિંસાને રોકવા ઉપર ધ્યાન આપવું જોઇએ કેમ કે દેશની દેખભાળ માટે વડાપ્રધાન મોદી છે. રાષ્ટ્રીય રાજનીતિમાં વિપક્ષો પોતાની જમીન ગુમાવી રહ્યા છે. બન્ને સદનોમાં પ્રતિનિધીઓની ઓછી સંખ્યા સાથે તેઓએ રાષ્ટ્રના મુડને સમજવો જોઇએ.
તેમણે વધુમાં જણાવેલ કે દીદીનું ધ્યાન બંગાળના વિકાસ કે રાજયમાં થોડા સમયથી થઇ રહેલ હીંસા ઉપર નથી. તેઓ ફકત રાજકારણ કરી રહ્યા છે અને કેન્દ્ર સરકારનો વિરોધ કરે છે. તેમણે પહેલાં બંગાળનું ધ્યાન રાખવું જોઇએ. તેઓ દર મહિને કેન્દ્રને એક પ્રસ્તાવ મોકલે છે. તેમના બધા પ્રસ્તાવો સ્વીકાર ન કરી શકાય. હું રાજયનું નામ બદલવાના પક્ષમાં નથી.