પાંચાળની ધરતીમાં સોનાનો સૂરજ : ડો.બોઘરા
રાજકોટ : આટકોટ ખાતે હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગે વડાપ્રધાન શ્રી મોદીજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોને આવકારતા હોસ્પિટલના સ્વપ્નદૃષ્ટા ડો. ભરતભાઈ બોઘરાએ જણાવ્યુ હતું કે પાંચાળની ધરતી પર આજે સોનાનો સૂર્યોદય થયો છે. વર્ષોથી સપનુ હતુ કે સામાન્ય માણસ પણ ઉત્તમ સારવાર લઈ શકે તેવી નમૂનારૂપ હોસ્પિટલનું નિર્માણ કરવું. એ આજે દાતાઓના સહયોગથી પૂર્ણ થાય છે. મોદીજીએ અમને જે કરો તે પરફેકટ કરો તે શીખવ્યુ હતું એ મુજબ આ હોસ્પિટલમાં અત્યાધુનિક આરોગ્ય સુવિધા ગોઠવવામાં આવી છે. ઉપરાંત કોઈ વ્યકિતની પૈસા વગર સારવાર અટકે નહિં તેની પણ અમે બાહેંધરી આપી છે. અહિં આયુષ્યમાન કાર્ડ પણ ઉપયોગમાં લઈ શકાશે. કાર્ડ કાઢવાનું સેન્ટર પણ હોસ્પિટલમાં છે.
ડો. બોઘરાએ મહાનુભાવોને આવકારીને કહ્યુ હતુ કે અહિં આટકોટની આરોગ્ય સેવા નમૂનારૂપ બને તેવા પ્રયાસો અમે કરીશુ.