મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

માનસરોવરના યાત્રિકોને ઝીલમાં સ્નાનની કોઈ પાબંદી નથી : પરંતુ જગ્યા નિશ્ચિત છે:વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની સ્પષ્ટતા

 

નવી દિલ્હી :માનસરોવરના યાત્રિકોને ઝીલમાં સ્નાનની કોઈ પાબંદી નથી :પરંતુ જગ્યા નિશ્ચિત છે તેમ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજએ  સ્પષ્ટતા કરી છે પહેલા તીર્થયાત્રીકોનો આરોપ હતો કે ચીની ઓફિસરો તેને માનસરોવર ઝીલમાં સ્નાન કરવાથી અટકાવી રહ્યાં છે

  સુષ્માએ કહ્યું કે માનસરોવર ઝીલમાં સ્નાન કરવા પર કોઈ પ્રતિબંધ નથી પરંતુ તેની જગ્યા નક્કી છે

 અત્રે ઉલ્લેખનીય છે કે સુષ્મા સ્વરાજે મહિને કૈલાશ માનસરોવર યાત્રાને લઈને ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે વાતચીત કરી હતી ત્યારબાદ ચીને શ્રદ્ધાળુઓ માટે નાથુલા દ્વાર ખોલવા સહમતી આપી હતી

(11:40 pm IST)