મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

આ એ જ જેલ છે જેમાં તમે ગાંધી-નેહરૂને રાખ્યા;અમે માલ્યાને પણ ત્યાં જ રાખશું

સુષ્મા સ્વરાજે કહ્યું કે પીએમ મોદીએ બ્રિટનના વડાપ્રધાન સમક્ષ ભારતની જેલો અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું

નવી દિલ્હી : ભાગેડુ વિજય માલ્યાએ બ્રિટનથી પ્રત્યાર્પણ મુદ્દે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે મુદ્દે જ્યારે તેમને બ્રિટનની કોર્ટ દ્વારા ભારતની જેલો અંગે કરાયેલી ટીપ્પણી અંગે સવાલ પુછ્યો તો તેમણે અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે બ્રિટનનાં વડાપ્રધાનને મળ્યા હતા, તો તેમણે તેને ભારતનાં વલણ અને જેલ અંગે જણાવ્યું હતું

   સુષ્મા સ્વરાજે પોતાનાં વિભાગનાં ચાર વર્ષ પુર્ણ થવા પ્રસંગે પોતાનો અહેવાલ આપ્યો હતો. દરમિયાન એક પત્રકારે તેમને વિજય માલ્યાનાં ભારત પરત લાવવા અંગે પુછ્યું તો તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી વિજય માલ્યાનાં પ્રત્યાર્પણની વાત છે તો અમે તેનાં માટે અરજી મોકલી દીધી છે. એક  કેસને બેંકોએ માલ્યા પર કર્યો હતો. તેઓ બેંક જીતી ગયા છે.

  તેમણે કહ્યું કે, તેઓ માલ્યાનાં રિકવરી કરી શકે છે. જ્યાં સુધી ભારત મોકલવાની વાત છે તો તેમણે કહેવામાં આવી રહ્યું છે, ત્યાંની કોર્ટ કહી રહી છે કે અમે તમારી જેલ તપાસવા માટે આવીશું. જો કે અમે જવાબ આપતા કહ્યું કે, એજ જેલ છે જ્યાં તમે મહાત્મા ગાંધી અને પંડિત નેહરૂ સહિતનાં મોટા નેતાઓને રાખ્યા હતા. માટે જેલો અંગે કોઇ સવાલ ઉઠાવવામાં આવે

ભારતમાં એક ડઝન કરતા વધારે બેંકો પાસેથી લોન લઇને ફરાર વેપારી વિજય માલ્યાએ હાલમાં બ્રિટનની એક કોર્ટ દ્વારા ઝટકો આપ્યો હતો. તે લંડનમાં ભારતીય બેંકોની તરફથી દાખલ કરવામાં આવી હતી. 1.55 અબજ ડોલર એટલે કે 10 હજાર કરોડ રૂપિયાનો કેસ હારી ગયા હતા.

(10:52 pm IST)