News of Monday, 28th May 2018
સરહદે ઘૂસણખોરી-ફાયરિંગ વચ્ચે વાતચીત શક્ય નથી :સુષ્મા સ્વરાજ
પાકિસ્તાન સાથે વાતચીત મામલે વિદેશમંત્રીનું તડનેફ્ડ :પાકિસ્તાને આંતકવાદ છોડવો એ જ ફોર્મ્યુલા
નવી દિલ્હી :વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાન સાથે વાત-ચીત મામલે તડનેફડ જવાબ આપીને પાકિસ્તાન પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, જ્યારે સીમા પર અરથીઓ ઉઠતી હોય તેમજ સીમા પર ફાયરિંગ અને ઘુસણખોરીની વચ્ચે વાતચીત શક્ય નથી. સુષ્મા સ્વરાજે વધુમાં કહ્યું હતુ કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે 4 ફોર્મ્યૂલા મુકી હતી ત્યારે જ મે કહ્યું હતું કે, આતંકવાદને છોડવો એ પણ એક ફોર્મ્યૂલા જ છે
(7:26 pm IST)