જેટલી, પવાર, રાજીવ શુકલાને દાઉદ સાથે કનેકશન
IPLમાંધોનીની જીત શ્રીનિવાસનના વિરોધીઓને તમાચો : સુબ્રમણ્યમ્ સ્વામીનો અતિગંભીર આક્ષેપ
નવી દિલ્હી તા. ૨૮ : આઇપીએલમાં ચેન્નઈની જીત પર સુબ્રહ્મણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને વિવાદ સર્જયો છે. સ્વામીએ ટ્વીટ કરીને જેટલી,પવાર અને રાજીવ શુક્લા પર પ્રહાર કર્યા છે અને તેમનું દાઉદ કનેકશન હોવાનો આરોપ કર્યો છે. સ્વામીએ જણાવ્યું હતું કે, ચેન્નઈની જીત એ શ્રીનીવાસની વિરોધીઓ માટે નિચા જોણુ છે. આ શ્રીનીવાસને ક્રિકેટથી દૂર કરવા ઈચ્છનારાઓના ગાલે તમાચો છે.
ઉલ્લેખનીય છે કે આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આઇપીએલ સિઝન-૧૧ની ફાઇનલ મેચ યોજાઇ હતી જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રસાકસી ભરેલી મેચમાં ૧૭૯નો લક્ષ્યાંક CSKને આપવામાં આવ્યો હતો.
આ મેચની ઓપનિંગમાં ઉતરેલા શ્રીવત્સ ગોતમે માત્ર ૫ રન બનાવીને રન આઉટ થઇ ગયો હતો અને કેપ્ટન વિલિયમસન ૫૦ રન પુરા કરે તે પહેલાં જ ૪૭ રને આઉટ થઇ ગયો. જયારે યુસુફ પઠાણ ૨૫ બોલમાં ૪૫ રન બનાવી અણનમ રહ્યો હતો.
ત્યારે મેચમાં CSKની જીત બાદ સુબ્રહ્મ ણ્યમ સ્વામીએ એક ટ્વીટ કરીને વિવાદ સર્જી દીધો હતો,અને અરૂણ જેટલી,પવાર અને રાજીવ શુક્લા પર આકરા પ્રહાર પણ કર્યા હતા. અને દાઉદ સાથેનું કનેક્શન ગણાવ્યું હતું. આપને જણાવી દઇએ કે, સુબ્રહ્મ ણ્યમ સ્વામીએ આ પહેલા પણ વિવાદિત વિધાનો આપતા રહ્યા છે અને જેના કારણે તેઓ માધ્યમોમાં છવાયેલા રહે છે ત્યારે આજે ફરીવાર તેમણે એક ટ્વીટ કરી વિવાદનો મધપુડો છંછેડ્યો હતો.