મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યની તબિયત લથડી :દિલ્હીની એમ્સમાં દાખલ

ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યની તબિયત લથડતા તેમને દિલ્હીના ઑલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડીકલ સાઈન્સીઝમાં દાખલ કરાયા છે એઈમેસની પીઆરઓ ડૉક્ટર આરતી વિજે જણાવ્યુ કે કેશવ પ્રસાદ મૌર્યની તબિયત ખરાબ થવાના કારણે તેમને અહીં ભરતી કરવામાં આવ્યા છે.

   સૂત્રો ના જણાવ્યા મુજબ 49 વર્ષીય કેશવપ્રસાદને માથામાં ઈજા થવાને કારણે તેમને અહી ભરતી કરવામાં આવ્યા છે. અહીં તેમની સર્જરી કરવામાં આવી શકે છે. 

 મૌર્યા કાર્ડિયો ન્યૂરો સેન્ટરના પ્રાઈવેટ વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત અત્યારે સ્થિર છે. ડૉક્ટરોની એક ટીમ સતત તેમની પર નજર રાખી રહ્યા છે.

(10:54 am IST)