મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

મુંબઈના ગોરેગાંવમાં ગત મોડી સાંજે એક બિલ્ડિંગમાં ભીષણ આગ ભભૂકી : ત્રણ લોકો ભડથું : 9 ઘાયલ

મુંબઈના ગોરેગાંવમાં ગત મોડી સાંજે ભીષણ આગ ભભૂકી હતી જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે જયારે નવ લોકો ઘાયલ થયા છે.

 મળતી વિગત મુજબ મુંબઈના ગોરેગાંવમાં ટેક્નિક પલ્સ વન બિલ્ડિંગમાં રવિવારે સાંજે અચાનક આગ ભભૂકી ઉઠતા ત્રણ લોકોના મોત થયા છે ગોરેગાંવ વેસ્ટર્ન એસવી રોડ પર આવેલ આ બિલ્ડિંગના પાંચમા માળે આગ લાગી હતી આગ લાગ્યાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું છે અને  બિલ્ડિંગમાં ફસાયેલ લોકોને બહાર કાઢવા અને આગ બુઝાવવાની કોશિશ કરાઈ રહી છે.

 

(12:00 am IST)