News of Wednesday, 28th April 2021
મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંઘ વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થતા મહારાષ્ટ્ર સરકારે પ્રાથમિક તપાસ કરવાના હુકમો કર્યા છે.
પરમવીર સિંહે થોડા સમય પહેલાં જ મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેશમુખ ઉપર, સો કરોડ દર મહિને હપતો ઉઘરાવવા માટેના આક્ષેપો કર્યા હતા. જેના પગલે દેશમુખે રાજીનામું આપવું પડેલ.
(12:00 am IST)