મુખ્ય સમાચાર
News of Sunday, 28th February 2021

કાશ્મીરના સુપ્રસિદ્ધ કૃષ્ણા ધાબાના યુવાન સંચાલકની ગોળી મારી હત્યા

શ્રીનગર: આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઘાયલ થયેલા લોકપ્રિય કૃષ્ણા ધાબાના માલિકના પુત્રનું રવિવારે અહીં મોત નીપજ્યું હતું.

 ધાબાના માલિકનો પુત્ર આકાશ મહેતાને આતંકવાદીઓએ 17 ફેબ્રુઆરીએ ગોળી મારી દીધી હતી.

અધિકારીઓએ જણાવ્યું છે કે મહેતાની છેલ્લા 10 દિવસથી એસ.એમ.એચ.એસ. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને આજે વહેલી સવારમાં જ તેણે દમ તોડી દીધો હતો.

પોલીસે કહ્યું કે આતંકીઓએ તેને નજીકથી  ગોળી મારી હતી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

મુસ્લિમ જાંબાજ ફોર્સે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.  આ આતંકી સંગઠન 1990 ના દાયકાથી કાશ્મીરમાં સક્રિય છે.

(4:55 pm IST)