કેન્દ્ર સરકાર આકરા પાણીએ :જમાત-એ ઇસ્લામી સંગઠન પર પ્રતિબંધ લગાવ્યો
શંકાસ્પદ ગતિવિધીમાં સંકળાયેલું હતું. તેમજ આતંકી સગંઠનનોને મદદ કરતું હોવાના મામલે પાંચ વર્ષ સુધી પ્રત્યબંધ મુકાયો
નવી દિલ્હી ;આતંકવાદને પ્રોત્સાહન આપવા મામલે કેન્દ્ર સરકાર એક પછી એક નિર્ણયો કરી રહી છે અલગાવવાદીઓની અટકાયત બાદ -જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રસરકારે જમાત- એ-ઇસ્લામી સંગઠન પર પ્રતિબંધ લગાવ્યો છે.
ગૃહ મંત્રાલયે આ સંગઠન પર પાંચ વર્ષનો પ્રતિબંધ મુક્યો છે. ગૃહ મંત્રાલય તરફથી અપાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,જમાત-એ-ઇસ્લામી કાશ્મીર સંગઠન શંકાસ્પદ ગતિવિધીમાં સંકળાયેલું હતું. તેમજ આતંકી સગંઠનનોને મદદ કરતું હતું.
ગૃહ મંત્રાલયનાં જણાંવ્યા પ્રમાણે તાજેતરમાં આ સંગઠનનાં અનેક નેતાઓ ઝડપી લેવાયા હતાં. કેન્દ્ર સરકારે જમાત-એ-ઇસ્લામી વિશે જણાંવ્યું કે, આ ગેરકાનૂની સંગઠન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા બાદ જમ્મુ-કાશ્મીરનાં અલગતાવાદી નેતાઓ સહિત તમામ શંકાસ્પદ સંગઠનો પર સરકારની કડક નજર છે. જે તમામ આતંકી પ્રવૃતીઓને પ્રોત્સાહન આપે છે.