મુખ્ય સમાચાર
News of Thursday, 28th February 2019

પાકિસ્તાનનો ઇસ્લામ ધર્મ, નાગરિકો, સરકાર અને આર્મી જ આતંકવાદ ફેલાવે છે : દ્વારકા શારદાપીઠના દંડી સ્વામી સદાનંદ સરસ્વતી

દ્વારકા તા. ૨૮ : ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવ ચાલી રહ્યો છે ત્યારે દ્વારકાના શારદાપીઠના દંડી સ્વામી અને શંકરાચાર્યના શિષ્ય સદાનંદ સરસ્વતીએ આતંકવાદ સામે આક્રોશ વ્યકત કર્યો હતો. આતંકવાદનો કોઇ ધર્મ નથી હોતો તો આતંકવાદી પકડાય છે ત્યારે તેને દફનાવવામાં કેમ આવે છે, દાહ સંસ્કાર કેમ કરતા નથી?

સ્વામી સદાનંદ સરસ્વતીએ આગળ જણાવ્યું હતું કે, ઇસ્લામ જ આતંકવાદ પેદા કરે છે. દ્વારકા અને સોમનાથનો દરિયાઇ વિસ્તાર પાકિસ્તાનથી નજીક છે. અહીં સુરક્ષા કર્મીઓ યોગ્ય સુરક્ષા આપી રહ્યા છે. ભારતીય સેનાએ કરેલી એર સ્ટ્રાઈક કામગીરી બિરદાવવા લાયક છે. પાકિસ્તાન ડરી ગયું હોવાથી વાતચીત માટે કહી રહ્યું છે. પાકિસ્તાન સાથે વાતચીત ન કરવી જોઇએ. આજે સમગ્ર દેશ એક છે અને એક થઇને રહેવું જોઇએ. આપણા રાજાધિરાજ દ્વારકાધીશ ભગવાન બેઠા છે તે સૌની રક્ષા કરશે.ઙ્ગ

'અમે તો કહીએ છીએ કે પાકિસ્તાનને ભગવાન સદબુદ્ઘિ આપે કારણ કે યુદ્ઘથી કોઇનું ભલું થવાનું નથી. ખાસ કરીને પાકિસ્તાનનું તો ભલું થવાનું જ નથી. સૈન્યની ત્રણેય પાંખો, સરકાર, લોકો બધા એક થયા છે. પાકિસ્તાનને ૧૯૬૫, ૧૯૭૧ અને કારગિલ યુદ્ઘથી અનુભવ થઇ ચૂકયો છે અને તે જાણે છે આપણે ભારત પર વિજય પ્રાપ્ત નહીં કરી શકીએ. તેઓનું કામ ભારતને અવ્યવસ્થિત કરવાનું છે, તેનો ઉદ્દેશ વિજય પ્રાપ્ત કરવાનો નથી. પરંતુ ભારતના વિકાસ અને ગતિમાં અવરોધ ઉભો કરવાનું કામ કરે છે. પાકિસ્તાન સાથે વાતચીત કરવાની જરૂર નથી હવે તો તે દંડને લાયક છે'ઙ્ગ

'જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનને પ્રમાણ જોઇએ છે પરંતુ પોતાના દેશમાં રહેતો આતંકવાદી ખુદ જાહેરમાં કહે છે કે મારા માણસે હુમલો કર્યો છે તો તેનાથી મોટું પ્રમાણ કયુ હોઇ શકે. કેટલીવાર ખોટું બોલશે? કયારેકને કયારેક તો ખોટું પકડાય જ જાય છે'ઙ્ગ

પાકિસ્તાન સાથે અનેકવાર વાતચીત થઇ છે,પણ કોઇ હલ નીકળતો નથી. પાકિસ્તાનમાં નામનું જ લોકતંત્ર છે. આખો દેશ ત્યાંની આર્મીના કહેવા પ્રમાણે ચાલી રહ્યો છે. આથી ત્યાં જેટલા પણ મંત્રી અને સત્તાધિશો છે તે સૈન્યના કહેવા પ્રમાણે જ કામ કરે છે. પાકિસ્તાનની આર્મી કયારેય ભારત સાથે સારા સંબંધ રાખવા ઙ્ગઇચ્છતી નથી. પાકિસ્તાનની વસતી ૨૦થી ૨૫ કરોડ છે જયારે આપણા દેશની વસ્તી ૧૩૦ કરોડ જેટલી છે. તેમજ આપણું સૈન્યબળ પણ તેના કરતા વધારે છે. ત્યાંની સરકાર આયોજીત આતંકવાદ છે.(૨૧.૨૮)

(1:20 pm IST)