મુખ્ય સમાચાર
News of Friday, 28th January 2022

જાન્યુઆરીમાં કરાયેલી તપાસમાં ૭૫% સેમ્પલમાં ઓમિક્રોન વેરિયન્ટ મળ્યો

કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ ભારતમાં ત્રીજી લહેરનું કારણ બન્યો છે : કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ વધારે ગંભીર નથી પરંતુ ડેલ્ટા વેરિયન્ટ હજુ પણ ભારતમાં છે

નવી દિલ્હી, તા.૨૮: ભારત સહિત દુનિયાભરના દેશોમાં આવેલી કોરોનાની નવી લહેરનું કારણ ઓમિક્રોન વેરિયન્ટ માનવામાં આવી રહ્યો છે. કોરોનાની ગતિ મંદ પડ્યા બાદ ઓમિક્રોન વેરિયન્ટના કેસ ઝડપથી ફેલાઈ રહ્યા હોવાનું માલુમ પડ્યું હતું. ભારતમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધતા આખરે તે ત્રીજી લહેરનું કારણ બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં નોંધાયેલા કેસમાં થયેલા એક સંશોધનમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

નેશનલ સેન્ટર ઓફ ડીસીઝ કંટ્રોલ (NCDC)ના ડિરેકટર સંજીત સિંદ્યે જણાવ્યું કે, SARS-CoV2ના જાન્યુઆરીમાં પોઝિટિવ આવેલા કેસના જીનોમ સિકવન્સિંગમાં માલુમ પડ્યું કે તેમાંથી ૭૫% ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હતા. તેમણે કહ્યું કે આ સિવાય ડેલ્ટા વેરિયન્ટના સંક્રમણ પણ જોવા મળ્યા છે, જે ખાસ કરીને ઓડિશા, પશ્યિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે

સંજીત સિંદ્યે જણાવ્યું કે, એ સાચું નથી કે માત્ર ઓમિક્રોન વેરિયન્ટ જ મળી રહ્યા છે, ભારતમાં હજુ ડેલ્ટા વેરિયન્ટ પણ છે. ડેલ્ટા વેરિયન્ટના કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યા વધે છે. હોસ્પિટલમાં આવતા તમામ કેસ ઓમિક્રોનના હોવાનું ના માનવું જોઈએ.

જાન્યુઆરી મહિનામાં જીનોમ સિકવન્સ કરાયેલા ૯,૬૭૨ કેસ ઓમિક્રોન સંક્રમિત હતા, જયારે ડિસેમ્બર મહિનામાં ૧,૨૯૨ કેસ આવ્યા હતા. બીજી તરફ ડેલ્ટાનું પણ પ્રમાણ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેના ડિસેમ્બરમાં ૧૭,૨૭૨ કેસ મળ્યા હતા જયારે જાન્યુઆરીમાં આંકડો દ્યણો દ્યટીને ૪,૭૮૯ થઈ ગયો છે.

કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો થયો છે આમ છતાં મૃત્યુઆંક વધી રહ્યો છે, ઓમિક્રોન વેરિયન્ટની વચ્ચે ડેલ્ટા વેરિયન્ટ પણ હોવાનું તપાસમાં માલુમ પડ્યું છે. આવામાં ઓમિક્રોન ભલે હળવો હોય પરંતુ તે ઘરના અન્ય ગંભીર બીમાર, વૃદ્ઘ કે બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે માટે એકસપર્ટ દ્વારા નવા વેરિયન્ટને હળવાશની ના લેવાની સલાહ અનેકવાર આપવામાં આવી છે.

ધીમે-ધીમે રાજયો દ્વારા નવા કેસમાં ઘટાડો નોંધાતા છૂટછાટો વધારવામાં આવી રહી છે. જોકે, ત્રીજી લહેર પહેલી અને બીજી લહેર જેટલી ગંભીર સાબિત થઈ શકે છે.

(10:57 am IST)