રાહુલ ગાંધીની હાજરીમાં સિદ્ધુએ ઈશારામાં સવાલ કર્યો કે પંજાબમાં સીએમ કોણ હશે? : રાહુલે કહ્યું જલ્દી લેવાશે નિર્ણય
સિદ્ધુએ દાવો કર્યો કે જો સીએમનો ચહેરો સામે આવશે તો રાજ્યમાં 70 સીટો સાથે સરકાર બનશે
નવી દિલ્હી : પંજાબમાં વિધાનસભાની ચૂંટણીની તાડમાર તૈયારી શરૂ થઇ છે. હજુ સુધી કોંગ્રેસે આ ચૂંટણીમાં પોતાના મુખ્યમંત્રી પદની જાહેરાત કરી નથી. આ દરમિયાન જલંધરમાં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પાર્ટીના નેતા રાહુલ ગાંધીની હાજરીમાં ઈશારામાં સવાલ કર્યો કે રાજ્યમાં કોંગ્રેસના સીએમ કોણ હશે? પંજાબ કોણ ચલાવશે. સિદ્ધુએ દાવો કર્યો કે જો સીએમનો ચહેરો સામે આવશે તો રાજ્યમાં 70 સીટો સાથે સરકાર બનશે. આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે સીએમ પદના ઉમેદવાર અંગે જલ્દી નિર્ણય લેવામાં આવશે
કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી એક રેલીમાં હાજર હતા. આ રેલીમાં સિદ્ધુએ ત્રણ સવાલ પૂછ્યા. પ્રથમ- તેમને દેવાના કાદવમાંથી કોણ બહાર કાઢશે? બીજો કેવી રીતે બહાર કાઢશે, એટલે કે તેમની પાસે કયો એજન્ડા છે? ત્રીજું- આ એજન્ડા કોણ અમલમાં મૂકશે? દેખીતી રીતે સિદ્ધુને સીધો સંકેત હતો કે પંજાબમાં પાર્ટીનો સીએમ ચહેરો કોણ હશે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ ગાંધીએ સિદ્ધુના સવાલનો જવાબ આપતા કહ્યું કે સીએમ ઉમેદવાર અંગેનો નિર્ણય કાર્યકર્તાઓને પૂછ્યા પછી જ લેવામાં આવશે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે જે કોઈ નેતૃત્વ કરશે, અન્ય તેને મજબૂત કરશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે પંજાબના નેતાઓ ઈચ્છે છે કે રાજ્યમાં સીએમ ચહેરાનો નિર્ણય લેવામાં આવે. તેમણે કહ્યું કે પાર્ટી આ અંગે નિર્ણય લેશે. આ માટે જનતા અને પક્ષના નેતાઓની સલાહ લેવામાં આવશે