ગાજીપુર બોર્ડર પર કલમ 144 લાગૂ : મોટી સંખ્યામાં સુરક્ષાબળ તૈનાત: રાકેશ ટિકૈતે જળત્યાગ કર્યો : આત્મહત્યા કરવાની ધમકી
તંત્રએ પણ પાણીની સુવિધા હટાવી દીધી : રાકેશ ટિકૈતે કહ્યુ કે જ્યાર સુધી ગ્રામજનો પાણી નહી પીલાવે ત્યા સુધી પાણીને હાથ પણ નહી લગાવુ
નવી દિલ્હી : પ્રજાસત્તાકના દિવસે દિલ્હીમાં થયેલી હિંસા બાદ આંદોલનને લઇને અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે. આ આંદોલન હવે ક્યાં સુધી ચાલશે તેના લઇને ચર્ચા ચાલી રહ્યા હતા. ત્યારે ગાઝીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં સુરક્ષાબળો તૈનાત કરવામાં આવ્યા છે. વિસ્તારમાં 144 કલમ લાગૂ કરી દેવામાં આવી છે. પોલીસે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને વિસ્તાર ખાલી કરી દેવા જણાવ્યું છે. ગાઝી બોર્ડર પર એક્શનની પૂરી તૈયારીઓ છે. મોટી સંખ્યામાં વાહનો અને જવાનો ખડકી દેવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ દિલ્હી પોલીસે રાકેશ ટિકૈતની ધરપકડની તૈયારી દર્શાવી છે. રાકેશ ટિકૈતે પાણીનું ત્યાર કર્યું છે અને અનશન પર બેઠી ગયા છે. આત્મહત્યા કરવાની ધમકી પણ તેમણે આપી છે.
ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસાને લઇને દિલ્હી પોલીસનું એક્શન ચાલુ છે. પોલીસ દ્વારા કેટલાક ખેડૂત નેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસ દરમિયાન નીકળેલી ટ્રેક્ટર પરેડ વચ્ચે હિંસામાં ઘાયલ પોલીસ કર્મીઓ સાથે કેન્દ્રીય ગૃહમંત્રીએ મુલાકાત કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ એક્શનમાં આવી ગયા છે અને ખેડૂતોને ધરણા પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે. રાકેશ ટિકૈત અનશન પર ઉતરી ગયા છે.તંત્રએ પણ પાણીની સુવિધા હટાવી દીધી છે. રાકેશ ટિકૈતે કહ્યુ કે જ્યાર સુધી ગ્રામજનો પાણી નહી પીલાવે ત્યા સુધી પાણીને હાથ પણ નહી લગાવુ
ગાજીપુર બોર્ડર પર તંત્રની રાકેશ ટિકૈત સાથે ચર્ચા ફેલ થઇ ગઇ છે. રાકેશ ટિકૈતે આરોપ લગાવ્યો છે કે ભાજપના ધારાસભ્ય પોલીસ સાથે આવ્યા છે, હવે તેમની ગુંડાગર્દી નહી ચાલે.
ગાજીપુર બોર્ડર પર રાકેશ ટિકૈતે કહ્યુ કે તે ધરપકડ આપવા માંગે છે પરંતુ ભાજપના ધારાસભ્યએ અમારા લોકો સાથે મારપીટ કરી છે. અમારા લોકોને રસ્તામાં મારવાનું પ્લાનિંગ છે. રાકેશ ટિકૈતે કહ્યુ કે હવે અમે અહીથી નહી જઇએ, અહી જ બેઠીશું.
હરિયાણા સરકારે સોનીપત, પલવલ અને ઝજ્જર જિલ્લામાં વોઇસ કોલને છોડીને ઇન્ટરનેટ સેવા, તમામ એસએમએસ સેવા અને મોબાઇલ નેટવર્ક પરની તમામ સેવાઓને બંધ કરવાનો સમય વધારી દીધો છે. ઇન્ટરનેટ સેવા 24 કલાક એટલે કે 29 જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે.