News of Wednesday, 27th November 2019
આદિત્ય ઠાકરે દિલ્હીના 10 જનપથ પહોંચ્યા: સોનિયા ગાંધીને શપથ સમારોહમાં પધારવા આપ્યું આમંત્રણ
દેશના વરિષ્ઠ નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યા
નવી દિલ્હી : શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે કાલે ગુરૂવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. આ શપથ ગ્રહણ સમારોહને ભવ્યાતિભવ્ય બનાવવાની તડામાર તૈયારીઓ વચ્ચે દેશના વરિષ્ઠ નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યાં છે.
વરલીના ધારાસભ્ય અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે દિલ્હીના 10 જનપથ પહોંચ્યા હતાં.અહીં તેમણે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને આમંત્રણ આપ્યું હતું. આદિત્ય ઠાકરેએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને તેમના નિવાસસ્થાને જઈ શપથ ગ્રહણ સમારોહમાં પધારવાનું આમંત્રણ આપ્યું હતું.
(11:02 pm IST)