મહારાષ્ટ્રના સત્તાકાંડમાં રાજ્યપાલ ભગતસિંહ કોશયારી ગાદી ગુમાવશે !!
કોશ્યારીના સ્થાને કલરાજ મિશ્રાની નિમણૂક થશે !!! : ભાજપ પક્ષની ઇમેજને લાગેલા ડાઘને ધોવાના પ્રયાસો કરશે
નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં ભજવાયેલા સત્તાકાંડના પગલે રાજ્યના ગવર્નર ભગત સિંઘ કોશ્યારી પોતાની ગાદી ગુમાવી બેસે એવા સંજોગો સર્જાયા હોવાનું રાજકીય પંડિતો માને છે.
પાટનગરની પાવર કોરિડોરમાં થઇ રહેલા ગણગણાટ મુજબ ભાજપની નેતાગીરી કોશ્યારીની બદલી કરી નાખશે અને એ રીતે પક્ષની ઇમેજને લાગેલા ડાઘને ધોવાના પ્રયાસો કરશે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે કોશ્યારીના સ્થાને કલરાજ મિશ્રાની નિમણૂક થાય એવી શક્યતા હોવાની વાતો પાવર કોરિડોરમાં થઇ રહી હતી. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન અને રાજ્યસભાના સભ્ય રહી ચૂકેલા કોશ્યારીની કામગીરી અંગે કોંગ્રેસે પણ વાંધો લીધો હતો.
કલરાજ મિશ્ર સપ્ટેંબરની 9મીએ હિમાચલ પ્રદેશના ગવર્નરપદેથી બદલાઇને રાજસ્થાનના ગવર્નર બન્યા હતા. હવે કોશ્યારીના સ્થાને કલરાજ મિશ્ર મહારાષ્ટ્રના રાજ્યપાલ બને એવી શક્યતા હતી