મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

વિરોધી વિચારધારા ધરાવતાએ વિશ્વાસ કર્યો પરંતુ સમાન વિચારવાળાએ વિશ્વાસ ના કર્યો : ઉદ્ઘવ ઠાકરે

સમાન વિચારધાર ધરાવતા લોકો સાથે હું ત્રીસ વર્ષથી હતો, તે મારા પર વિશ્વાસ નહોતો કરતો

મુંબઈ : મહારાષ્ટ્રમાં રાજકીય અટકળોનો અંત આવ્યો છે. રાજયના નવા મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે હશે.આ પહેલા બપોરે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.

ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસની પ્રેસ કોન્ફરન્સ પછી એવું લાગ્યું કે આ સંબંધ હવે ટકી રહેવો જોઇએ નહીં. ભાજપ પર સખ્તાઇ લેતા શિવસેના પ્રમુખે કહ્યું કે વિરોધી વિચારધારા ધરાવતા લોકો તેમના પર વિશ્વાસ કરી શકે છે, પરંતુ સમાન વિચાર ધારકો ધરાવતા લોકોએ વિશ્વાસ ન કર્યો. તેમણે કહ્યું, વિરોધી  વિચારધારાના લોકોએ મારા પર વિશ્વાસ મૂકયો, પરંતુ સમાન વિચારધાર ધરાવતા લોકો હું ત્રીસ વર્ષથી હતો, તે મારા પર વિશ્વાસ નહોતો કરતો.

(12:38 pm IST)