મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

૧ ડિસેમ્બરથી ૧૫ ટકા સુધી મોંઘી થઈ શકે છે નવી વીમા પોલિસી

વીમા કંપનીઓને પોલિસીના પ્રીમિયમમાં ૧૫%નો વધારો અથવા ઘટાડો કરવાની મંજૂરી આપવામાં આવી છે

નવી દિલ્હી, તા.૨૭: વિમા નિયામક ઇરડાના જુલાઇમાં જાહેર નોન લિંકડ વીમાં પોલિસના નવા નિયમ ૧ ડિસેમ્બર ૨૦૧૯થી લાગુ રહેશ.બધા વીમા કંપનીઓને ૩૦ નવેમ્બર સુધી નવા નિયમો અનુસાર વીમા પોલિસીમાં બદલાવ કરવાનું કહેવામાં આવ્યુ છે. વીમા નિયમનકાર ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDA) દ્વારા જુલાઈમાં જારી કરવામાં આવેલી નોન-લિંકડ અને લિંકડ વીમા પોલિસીના નવા નિયમો ૧ ડિસેમ્બર ૨૦૧૯થી અમલમાં આવશે.

તમામ વીમા કંપનીઓએ નવા નિયમો અનુસાર ૩૦ નવેમ્બર સુધીમાં ઇન્શ્યોરન્સ પ્રોડકટમાં ફેરફાર કરવો પડશે. IRDA અનુસાર, વીમા કંપનીઓને પોલિસીના પ્રીમિયમમાં ૧૫%નો વધારો અથવા ઘટાડો કરવાની મંજૂરી આપવામાં આવી છે. ત્ય્ઝ્રખ્એ તમામ વીમા કંપનીઓને ૩૦ નવેમ્બર સુધીમાં નવા નિયમો અનુસાર વીમા પોલિસીમાં ફેરફાર કરવા જણાવ્યું છે.

પરિવર્તનના ભાગરૂપે, દેશની સૌથી મોટી જીવન વીમા કંપની લાઇફ ઇન્શ્યરન્સ કોર્પોરેશન (LIC)એ પણ ૩૦ નવેમ્બર સુધીમાં બે ડઝનથી વધુ વ્યકિતગત વીમા પોલિસી, આઠ ગ્રુપ ઇન્શ્યોરન્સ પ્લાન અને સાતથી આઠ રાઇડર પ્લાનને ૩૦ નવેમ્બર સુધી બંધ કરવાની જાહેરાત કરી છે. જો કે, LICએ કહ્યું કે તે ભવિષ્યમાં IRDA નિયમો હેઠળ આ નીતિઓને ફરીથી લોન્ચ કરશે. એક અનુમાન મુજબ, IRDAના નવા નિયમો હેઠળ ૭૫%થી ૮૦% વીમા પોલિસી ૩૦ નવેમ્બર સુધીમાં બંધ થઈ જશે.

IRDAએ તમામ વીમા કંપનીઓને ૩૦ નવેમ્બર ૨૦૧૯ સુધીમાં નવા નિયમો હેઠળ તેમની પ્રોડકટ્સને બદલવા જણાવ્યું છે. IRDAએ કહ્યું કે, જે પ્રોડકટ્સ નવા નિયમો હેઠળ બદલી શકાતી નથી તેને ૩૦ નવેમ્બર ૨૦૧૯ સુધીમાં પરત લેવામાં આવશે. વીમા કંપનીઓ જે પ્રોડકટ્સ પરત લઈ રહી છે તેને ત્રણ મહિનાની અંદર એટલે કે ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં બદલી શકાશે.

(3:48 pm IST)