News of Wednesday, 27th November 2019
એવા લોકતંત્રની જરૂરત જયાં જનતાનુ સરકારના કામ પર સીધુ નિયંત્રણ હોયઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ટિપ્પણી
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ સોમવારના દિલ્લી વિધાનસભામા રાષ્ટ્રમંડળ સંસદીય સંઘ દ્વારા આયોજીત યુવા સંસદ સત્રમાં કહ્યું કે એવા લોકતંત્રની જરુર છે જયાં જનતાના પ્રતિનિધીઓ અને સરકારના કામ પર સીધુ નિયંત્રણ હોય.
કેજરીવાલએ કહ્યું લોકતંત્ર એક સ્થિર નહી પણ ગતિશીલ પ્રક્રિયા છે અને સભ્યતા સાથે આ વિકસિત થાય છે.
(12:00 am IST)