News of Wednesday, 27th November 2019
આ વર્ષે શિયાળો ઠંડીથી થથરાવશે નહીં : એમ,રાજીવન
શિયાળો આકરો નહો હળવો રહેશે : કાતિલ ઠંડીનું મોજું ફરી વળે તેવી શકયતા નહિવત
નવી દિલ્હી : કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સેક્રેટરી એમ,રાજીવને જાહેર કર્યું છે એ આ વર્ષે શિયાળો આકરો નહીં રહે, આ વર્ષે શિયાળો હળવો રહેશે અને કાતિલ ઠંડીનું મોજું ફરી વળે તેવી શકયતા જણાતી નથી
રાજીવને કહેલ કે અલ-નીનોની અસર હજી ગઈ નથી, તેની અસર ટેમરેચર ઉપર જોવા મળશે
આ વર્ષે વિન્ટર સીઝન એવી બધી આકરી નહીં રહે અને કોલ્ડ વેવના દિવસો ઓછા થતા જોવા મળશે
ભારતીય હવામાન ખાતું ટૂંકસમયમાં શિયાળા અંગે સત્તાવાર જાહેરાત કરશે
(12:38 am IST)