મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ: હિઝબુલનાં બે આતંકવાદીઓ ઠાર

બાકીના આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના તચવારા ગામે મોડી રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભારે ગોળીબાર થયો. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

   માર્યા ગયેલા આતંકીઓની ઓળખ ઇરફાન અહેમદ અને ઇરફાન શેખ તરીકે થઈ છે. જે આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના સભ્ય હતા. સુરક્ષા દળો ઘણા સમયથી બંનેની શોધમાં હતા.

   હાલ સુરક્ષા દળોએ આ સમગ્ર વિસ્તારને સીલ કરી બાકીના આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી કાશ્મીર ખીણમાં આતંકવાદી સંગઠનોએ આતંકી ઘટનાઓને અંજામ આપવાની ફિરાકમાં છે. પરંતુ સુરક્ષા દળો આતંકીઓના દરેક મનસૂબાઓને નાકામ બનાવી રહ્યા છે

(12:00 am IST)