લખીમપુર ખેરી હિંસા : ભાજપે નોંધાવેલી બીજી FIR અનુસંધાને બે વ્યક્તિની ધરપકડ : 12 ખેડૂતોને નોટિસ પાઠવ્યા બાદ બે ખેડૂતોની ધરપકડ કરવામાં આવી
યુ.પી. : લખીમપુર ખેરી હિંસા કેસમાં પોલીસે વધુ બે લોકોની ધરપકડ કરી છે. બંનેની ધરપકડ બીજેપી નેતા દ્વારા નોંધાયેલી બીજી એફઆઈઆરના આધારે કરવામાં આવી છે. આ પહેલીવાર છે જ્યારે બીજી એફઆઈઆર પર કોઈ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ પોલીસે આ એફઆઈઆરના આધારે 12 ખેડૂતોને નોટિસ પાઠવી હતી. કેટલાક ખેડૂતોના નિવેદનો પણ નોંધાયા હતા.
લખીમપુરના ટિકુનિયામાં થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. ખેડૂતો વતી ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા સહિત અનેક લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી અને અત્યાર સુધીમાં આશિષ સહિત 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ભાજપના સદસ્ય સુમિત જયસ્વાલે પણ ખેડૂતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ રિપોર્ટના આધારે મંગળવારે પ્રથમ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે મોકરમપુર પોલીસ સ્ટેશન ગોલાના રહેવાસી ગુવિંદર સિંહ અને ગોગાવાન પોલીસ સ્ટેશન ભીરાના વિચિત્રા સિંહની ધરપકડ કરી છે.
યુપીના એડીજી કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મંત્રીના પુત્ર આશિષ બાદ પાછલા અઠવાડિયે કાઉન્સિલર સુમિત જયસ્વાલ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.