પુત્ર આર્યન ખાનને જામીન અપાવવા શાહરુખ ખાને ઉતારી વકીલોની ફોજ : વરિષ્ઠ વકીલ સતીશ માનશિંદે ,અમિત દેસાઈ ,પછી હવે ભારતના પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી મેદાનમા : મુંબઈ હાઇકોર્ટમાં આજ 26 ઓક્ટોબરના રોજ સુનાવણી ચાલુ
મુંબઈ : ક્રુઝ શિપ ડ્રગ કેસના આરોપી પુત્ર આર્યન ખાનને જામીન અપાવવા શાહરુખ ખાને દેશના નામાંકિત અંતે પ્રતિષ્ઠિત વકીલોની ફોજ ઉતારી દીધી છે.
આ કેસની પ્રથમ વકીલાત વરિષ્ઠ વકીલ સતીશ માનશિંદે દ્વારા કરવામાં આવી હતી, જેઓ રિયા ચક્રવર્તી કેસમાં લડ્યા હતા. તે પછી, હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનને નિર્દોષ જાહેર કરનાર અમિત દેસાઈ પણ આર્યન વતી ઉભા હતા. હવે ભારત સરકારના ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી તેમના વતી બોમ્બે હાઈકોર્ટની સુનાવણીમાં આર્યન ખાનના જામીન અંગે દલીલ કરશે. મુકુલ રોહતગી 2002ના ગુજરાત રમખાણોના કેસમાં સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકારના વકીલ હતા અને તેમણે તાજેતરમાં કહ્યું હતું કે શાહરૂખના પુત્રને જામીન આપવામાં આવે.
આટલું જ નહીં, શાહરૂખ ખાને પોતાના પુત્ર આર્યનને જામીન મેળવવા માટે લો ફર્મ કરંજાવાલા એન્ડ કંપનીમાં પણ મદદ કરી છે. આ સિવાય રૂબી સિંહ આહુજા અને સંદીપ કપૂરની ટીમ પણ બોમ્બે હાઈકોર્ટમાં તેમના ક્લાયન્ટ આર્યન ખાનને જામીન મેળવવા માટે વકીલાત કરશે. વકીલોની આ ફોજમાં આનંદિની ફર્નાન્ડિસ અને રુસ્તમ મુલ્લા જેવા મોટા નામ સામેલ છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.