દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂના પુત્ર નરેન્દ્રભાઇની મુલાકાતે
જસદણ : નવી દિલ્ખી ખાતે દેશના ડાયનેમિક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના પ૩માં દાઇ (સર્વોચ્ચધર્મગુરૂ) નામદાર ડો.અબુ જાફરૂસ્સાદીક આલિકદર મુફદ્લ સૈફુદીન (ત.ઉ.શ.)ના સુપુત્ર હૂસેનભાઇએ અન્ય ખીદમત ગુજારો સાથે મુલાકાત કરી હતી આ તસ્વીરો સોશ્યલ મિડીયામાં ખૂબ જ વાયરલ થઇ હતી જેમાં જણાવ્યુ હતુ કે મોદી સાથેની આ મુલાકાતમાં દેશના વિવિધ કાર્યોના હૂસૈનભાઇએ વડાપ્રધાનના વખાણ કર્યા હતા. નોંધનીય છે કે હુસૈનભાઇ તાજદાર ડો.સૈયદના સાહેબના સૌથી નાના સુપુત્ર છે ૧૯૭૭માં જન્મેલા હુસૈનભાઇ પિતા દાદાના પગલે ધાર્મિક અને સમાજ સેવામાં મોટા ભાગનો સમય ફાળવે છે અને દેશ દેશાવરના અનેક રાષ્ટ્રપતિ પ્રમુખો અને વડાપ્રધાનોને મળી જે તે દેશના વિકાસ કાર્યોમાં પોતાનો સહયોગ આપ્યો છે.(તસ્વીર-અહેવાલઃ હુસામુદીન કપાસી, જસદણ)