પેશાવર મદરેસામાં મોટો વિસ્ફોટ: 7 લોકોનાં મોત : 70 ઘાયલ
બાળકો સહિત સાત મૃતદેહો અને 70 ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા : તબીબી સુવિધામાં પણ કટોકટીની ઘોષણા
પાકિસ્તાનના પેશાવરના એક મદરેસામાં મોટો વિસ્ફોટ થયો છે. પાકિસ્તાનની મીડિયા સંસ્થા બોડી dawn મુજબ, પેશાવરની દર કોલોનીના એક મદરેસા મંગળવારે વિસ્ફોટ થયો. જેમાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત નીપજ્યાં છે અને 70 થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામેલા લોકોનો બાળકોનો પણ સમાવેશ છે.
વરિષ્ઠ પોલીસ અધિક્ષક (ઓપરેશન્સ) મન્સૂર અમને વિસ્ફોટની પુષ્ટિ કરી છે. ઘાયલ અને મૃતકોની સંખ્યા વધી શકે છે.જ્યાં ઇજાગ્રસ્તોને દાખલ કરવામાં આવ્યા છે, લેડી રીડિંગ હોસ્પિટલના પ્રવક્તા મોહમ્મદ અસિમે એક નિવેદનમાં જણાવ્યું છે કે બાળકો સહિત સાત મૃતદેહો અને 70 ઇજાગ્રસ્તોને અહીં લાવવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે અને હોસ્પિટલના ડાયરેક્ટર ઇમરજન્સી વોર્ડમાં હાજર છે. તેમણે જણાવ્યું કે તબીબી સુવિધામાં પણ કટોકટીની ઘોષણા કરવામાં આવી હતી. એસએસપી અમને જણાવ્યું હતું કે વિસ્ફોટનું કારણ જાણવા તપાસ ચાલુ છે.