અમેરિકાના ન્યૂજર્સીમાં 1 ઓક્ટો.2022 શનિવારના રોજ ' અન્નકૂટ ઉત્સવ તથા શરદ પૂનમ ' ઉજવાશે : યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડાના ઉપક્રમે થનારી ઉજવણીમાં કીર્તન ,સત્સંગ ,અન્નકૂટ આરતી તથા મહાપ્રસાદનો લહાવો
દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અમેરિકાના ન્યૂજર્સીમાં એક્સ્પો સેન્ટર ,97 ,સનફિલ્ડ એવ .એડિસન મુકામે 1 ઓક્ટો.2022 શનિવારના રોજ યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડાના ઉપક્રમે ' અન્નકૂટ ઉત્સવ તથા શરદ પૂનમ ' ઉજવાશે .
આ પ્રસંગે પ્રગટ ગુરુહરિ પ.પૂ.પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજ હાજરી આપશે.
શરદ પૂનમ એ મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ દિવસ છે.સાથોસાથ ગુરુહરિ બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ તથા તેમના આધ્યાત્મિક વારસદાર પ્રગટ ગુરુહરિ પ.પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજનો ભગવત દીક્ષા દિન છે.
ઉત્સવ અંતર્ગત સવારે 11 -00 કલાકે કીર્તન તથા સત્સંગ થશે.અન્નકૂટ આરતી તથા મહાપ્રસાદનો સમય બપોરે 1 -30 થી 2 -30 સુધીનો રાખવામાં આવ્યો છે.
આ ઉત્સવનો લ્હાવો લેવા તમામ હરિભક્તોને આમંત્રણ પાઠવાયું છે.
ઉપરોક્ત પ્રસંગે મીઠાઈ સેવા (25 LB) માટે 351 ડોલર ,કેલેન્ડર સેવા (250 કેલેન્ડર) માટે 500 ડોલર ન્યોચ્છાવર રકમ રાખવામાં આવી છે. જે માટે YDS OF MD INC ના નામનો ચેક લખવો .જેની પહોંચ તે જ દિવસે ઈમેલ દ્વારા મળી જશે.જેઓ પહોંચબુક રાખવા માંગતા હોય તેઓને મહેન્દ્ર અંકલનો સંપર્ક સાધવા જણાવાયું છે.આ એક સેવા ભક્તિ છે જેમાં જોડાઈને આપ આપના પરિવારજનો ,મિત્રો ,તથા વ્યવસાયિકોનો સંપર્ક કરી ડોનેશન અપાવી શકો છો.
વિશેષ માહિતી શ્રી મહેન્દ્ર રાય (973) 224 -3080 ,શ્રી મુકેશ પટેલ (973) 897 -8667 , શ્રી ઘનશ્યામ ભટ્ટ (203) 675 -7777 ,શ્રી લવ પટેલ (732) 770 -2561 ,
શ્રી અશોક પટેલ (732) 429 -4186 ,અથવા વિપુલ અમીનના કોન્ટેક નંબર (908) 296 -5181 દ્વારા મળી શકશે તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.