News of Sunday, 27th September 2020
રાજકોટમાં રાહતના સમાચાર : કોરોનાનાં મૃત્યુ આંકમાં સતત ઘટાડો : આજે માત્ર 9નાં મોત : સરકારી-ખાનગી હોસ્પિટલમાં 1250 બેડ ખાલી
રાજકોટ : વૈશ્વિક મહામારી કોરોનાએ રાજકોટ શહેર- જિલ્લામાં આજે એક જ રાતમાં 9 દર્દીઓનો ભોગ લીધો છે . સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ 1 મૃત્યુની નોંધ થઈ છેે.
આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.26નાં સવારનાં 8 વાગ્યાથી તા.27નાં સવારનાં 8 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં શહેર - જિલ્લાના 9 દર્દીઓએ દમ તોડી દીધા હતો . શહેર અને જિલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં 1250 બેડ ખાલી છે.
(10:56 am IST)