News of Tuesday, 27th July 2021
આસામ સરકારે ત્રણ દિવસના રાજ્ય શોકની ઘોષણા કરીઃ વિવાદ બે રાજ્યો વચ્ચેનો છે, બે રાજકીય પક્ષો વચ્ચે નથીઃ આસામના સીએમ
ગૌહત્તીઃ આસામ-મિઝોરમ વિવાદ, આ કોઈ રાજકીય મુદ્દો નથી. તે બે રાજ્યો વચ્ચે સરહદી વિવાદની વાત છે અને ઘણા લાંબા સમયથી ચાલે છે. બંને પક્ષે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ વિવાદ થયો હતો. આ વિવાદ બે રાજ્યો વચ્ચેનો છે, બે રાજકીય પક્ષો વચ્ચે નથીઃ આસામના સીએમ હિમાંતા બિસ્વા સરમાની સ્પષ્ટ વાત. દરમિયાન આસમ સરકારે આસામ-મિઝોરમ સરહદ અથડામણમાં પોતાનો જીવ ગુમાવનાર પાંચ પોલીસકર્મીઓ અને એક નાગરિકના માનમાં ત્રણ દિવસ સત્તાવાર રાજ્ય શોકની ઘોષણા કરી છે.
(4:07 pm IST)