મુખ્ય સમાચાર
News of Tuesday, 27th July 2021

આસામ સરકારે ત્રણ દિવસના રાજ્ય શોકની ઘોષણા કરીઃ વિવાદ બે રાજ્યો વચ્ચેનો છે, બે રાજકીય પક્ષો વચ્ચે નથીઃ આસામના સીએમ

ગૌહત્તીઃ આસામ-મિઝોરમ વિવાદ, આ કોઈ રાજકીય મુદ્દો નથી.  તે બે રાજ્યો વચ્ચે સરહદી વિવાદની વાત છે અને  ઘણા લાંબા સમયથી ચાલે છે.  બંને પક્ષે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ વિવાદ થયો હતો.  આ વિવાદ બે રાજ્યો વચ્ચેનો છે, બે રાજકીય પક્ષો વચ્ચે નથીઃ આસામના સીએમ હિમાંતા બિસ્વા સરમાની સ્પષ્ટ વાત.  દરમિયાન આસમ સરકારે આસામ-મિઝોરમ સરહદ અથડામણમાં પોતાનો જીવ ગુમાવનાર પાંચ પોલીસકર્મીઓ અને એક નાગરિકના માનમાં ત્રણ દિવસ સત્તાવાર રાજ્ય શોકની ઘોષણા કરી છે.

(4:07 pm IST)