સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રગીત ગાવઃ રેકોર્ડ કરી વેબસાઇટ ઉપર મોકલોઃ નરેન્દ્રભાઇનું આહવાન
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઇએ દેશવાસીઓને ૧પ ઓગસ્ટે રાષ્ટ્રગીત ગાવા અને તેને રેકોર્ડ કરી રાષ્ટ્રગાન ડોટ ઇન ઉપર મોકલવા આહવાન કરેલ. તેમણે જણાવેલ કે સાંસ્કૃતિક મંત્રાલયના પ્રયાસ છે કે ૭પમાં સ્વતંત્રતા દિવસ ઉપર વધુમાં વધુ ભારતીયો મળીને રાષ્ટ્રગાન ગાઇ મન કી બાતમાં તેમણે જણાવેલ કે સોમવારે કારગીલ વિજય દિવસ છે. લોકો કારગીલની ગાથા જરૂર વાંચે ઓલમ્પીકમાં ભારતીય ખેલાડીઓને હાથમાં તિરંગો લઇ ચાલતા જોઇ હું જ નહી પણ સમગ્ર દેશ રોમાંચીત થયેલ. સમગ્ર દેશ એક થઇ આપણા યોધ્ધાઓને વિજયી ભવઃ જણાવેલ.
તેમણે વધુમાં જણાવેલ કે મનકી બાતમાં સુચન આપનાર ૭પ ટકા ૩પ વર્ષથી નીચેના છે. તેમના સુચન દિશા આપી રહયા છે. રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસની યાદ અપાવી કહેલ કે હેન્ડલુમની વસ્તુઓ ખરીદો કોરોનાથી સાવધાની રાખવા પણ તેમણે જણાવેલ