ભાજપનું મેલુ મન જાહેર થઇ ગયું છેઃ ચૂંટેલી સરકારો તોડવા પ્રયાસઃ પ્રિયંકા ગાંધી
નવી દિલ્હીઃ રાજસ્થાનમાં હજુ રાજકીય સંકટ યથાવત છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા ભાજપ પર રાજસ્થાનની ગેહલોત સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન તાકયું છે.
પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે અને સંકટના સમયે નેતૃત્વની ઓળખ થાય છે. કોરોનાના રાષ્ટ્રીય સંકટમાં દેશને જનહિતમાં કામ કરનાર નેતૃત્વની જરુરત છે. પરતુ કેન્દ્રની ભાજપ સરકારે જનતા દ્વારા ચૂંટાયેલી સરકારોને પાડવાની કોશિશ કરીને પોતાના બદઇરાદા અને પોતાનું ચરિત્ર સ્પષ્ટ કરી દીધું છે. જનતા જવાબ આપશે.
રાજસ્થાનમાં કોંગ્રેસના નેતા સચિન પાયલોટના બાગી તેવરથી સૌ કોઈ વાકેફ છે. સચિન પાયલોટના સમર્થનમાં કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો છે. જયારે કોંગ્રેસનું કહેવું છે કે સચિન પાયલોટ ભાજપના ઇશારા પર કામ કરી રહ્યા છે.