મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

સેબીએ બદલ્યા માર્જિનના નિયમો

શેર વેચવાના ૨ દિ' પછી જ શેર ખરીદી શકાશે

કેશ સેગમેન્ટમાં પણ અપફ્રન્ટ માર્જિન લાગશે : ૨૨ ટકા દેવું પડશે : ૧લી ઓગસ્ટથી અમલ

મુંબઇ તા. ૨૭ : શેરબજાર ઉપર માર્જિનનો નવો માર પડયો છે. હવે કેશ સેગમેન્ટમાં પણ અપફ્રન્ટ માર્જિક લાગશે. હવે કેશ સેગમેન્ટમાં ઓછામાં ઓછા ૨૨ ટકા માર્જિન આપવું પડશે. T+2 સેટલમેન્ટ બાદ જ પૈસાનો ઉપયોગ થઇ શકશે. એટલે કે જો સોમવારે શેર વેંચ્યા હોય તો બુધવારે જ નવો સોદો કરી શકાશે. તેની BTST કે STBTના વોલ્યુમ પર અસર પડી શકે છે. હવે હોલ્ડીંગના શેર વેચવા હોય તો પણ માર્જિક લાગશે NSE-BSEFAQ જારી કરેલ છે. માર્જિનના નવા નિયમો તબક્કાવાર લાગુ થશે. ૧લી ઓગસ્ટથી તે લાગુ થશે જો કે બ્રોકર્સ અને ગ્રાહકોની મુશ્કેલી વધશે. ડિલીવરી વેચવા પર માર્જિનને લઇને ચિંતા વ્યકત થઇ છે. ડિલીવરીવાળા શેર પર કોઇ માર્જિક હોવું ન જોઇએ. ૫ લાખ સુધીના સોદા પર માર્જિન ન હોવું જોઇએ. નવા નિયમોથી કેશમાં વોલ્યુમ પર અસર પડશે.

શેરબજારમાં કામ કરતા દરેક રોકાણકારો માટે ખાસ અગત્યનું : તા. ૦૧-૦૮-૨૦૨૦ થી અમલમાં આવે તે રીતે SEBI દ્વારા ધરમૂળથી ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેમના મોટા ભાગના નિયમો અઘરા છે પરંતુ દરેક રોકાણકારો એ તેનો અમલ કરવો પડશે..

નિયમ નં. ૧

દરેક રોકાણકારોએ કોઈપણ સોદો કરતા પહેલા એટલે કે શેર્સની ખરીદ અથવા વેચાણ કરતા પહેલા માર્જિન જમા કરાવવું પડશે. દરેક સ્ક્રિપ પ્રમાણે અલગ અલગ માર્જિન હોય છે તે પ્રમાણે માર્જિન જમા કરાવવું પડશે. જો જમા કરાવેલ માર્જિન ઓછું હશે તો પેનલ્ટી ભરવી પડશે જે સીધી BSE/NSE  એકસચેંજમાં જમા થશે.

નિયમ નં. ૨

રોકાણકાર પોતાના ડીમેટ ખાતાના શેર્સ વેચવા માટે પણ પૂરેપૂરું માર્જિન ભરવું પડશે. IPOમાં લાગેલા શેર્સ વેચવા માટે પણ પૂરેપૂરું માર્જિન ભરવું પડશે.

એક કંપનીના શેર વેચીને તેની સામે બીજા શેર્સ લઇ શકાશે નહીં. જો પ્રમાણે કરવું હશે તો ડબલ માર્જિન ભરવું પડશે અથવા એક બાજુ નું માર્જિન ભરી ને 2 દિવસ રાહ જોવી પડશે.

નિયમ નં. ૩

BTST એટલે કે આજે લઇ ને કાલે વેચશો તો ડબલ માર્જિન ભરવું પડશે. દા.ત તમે આ XYZ કંપની ના શેર ખરીદવા માંગો છે જેનું માર્જિન 30% છે તો તમારે તે કંપનીના Rs.10000 ના શેર્સ ખરીદવા માટે 30%માર્જિન એટલે કે Rs.3000 પહેલા જમા કરાવવા પડશે. હવે તમે તે ખરીદેલા શેર્સ બીજા દિવસે વેચવા માટેઙ્ગ બીજા Rs.3000 જમા કરાવવું પડશે. આમ Rs 10000 ના શેર્સ ની લે-વેચે માટે Rs 6000 માર્જિન જમા કરાવવું પડશે

નિયમ નં. ૪

રોકાણકાર જયારે તેના ડીમેટ ખાતામાંથી શેર્સ વેચશે તેવા સંજોગોમાં રોકાણકારના મોબાઈલ નં. તથા ઇમેઇલ ઉપર OTP આવશે. તે OTP ફકત 10 મિનિટ માટે ચાલશે. રોકાણકારે આ OTP ફકત 10 મિનિટમાં વેબસાઈટ ઉપર એન્ટર કરશે પછી જ શેર્સ તેના ખાતામાંથીઙ્ગ બ્રોકરના ખાતામાં જશે. જે રોકાણકાર આ OTP એન્ટર કરવાનું ચુકી જશે તેના શેર્સનું લિલામ/Auction થશે. જેનું નુકશાન રોકાણકારે ભોગવવાનું રહેશે. આવા નિયમના લીધે દરેક રોકાણકારે સ્માર્ટ ફોન સાથે ઈન્ટરનેટ ફરજીયાત ચાલુ રાખવું પડશે. સિનિયર સિટિઝન રોકાણકારો એ શેરબજારનું કામ લગભગ બંધ કરી દેવું પડશે. દરેક રોકાણકારો એ પોતાના કામધંધા બાજુ પર મૂકીને OTP ની રાહ જોવી પડશે.

થોડા મહિનાઓ પહેલા SEBIના ચેરમેન અજય સિન્હાએ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે રોકાણકારોએ રોકાણ કરવા માટે ડાયરેકટ શેરબજારમાં રોકાણ કરવાના બદલે મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ જવું જોઈએ. આ ફકત આપની જાણકારી માટે.

(3:50 pm IST)