મુખ્ય સમાચાર
News of Wednesday, 27th May 2020

રેલવે બોર્ડના કેટલાક કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ: દિલ્હી રેલંબાવનની ઇમરાતાં સીલ કરાઈ

કચેરીના ચોથા માળને શુક્રવાર સુધી બંધ રાખવાનો નિર્ણય

નવી દિલ્હી :  રેલવે બોર્ડના કેટલાક કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો, જેના પગલે નવીદિલ્હી સ્થિત રેલવે ભવનની ઇમારતને સીલ કરી દેવામાં આવી છે.

મંગળવાર તથા બુધવારે બે દિવસ માટે સમગ્ર રેલભવનને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે, જ્યારે કચેરીના ચોથા માળને શુક્રવાર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ગાળા દરમિયાન ઇમારતને સૅનિટાઇઝ કરવાનું તથા જંતુમુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

(11:47 am IST)